છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ સરેરાશ 500થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,773 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાથી 22,417 દર્દી સ્વસ્થ ઘરે પરત ફર્યા છે અને 1,790ના વાઈરસના કારણે મોત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 615 કેસ નોંધાયા છે. તેમજ 18 દર્દીના મોત થયા છે. જ્યારે 379 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં દર્દીઓનો રીકવરી રેટ 73.08 % થયો છે.
રાજ્યનો ડબલિંગ રેટ 15 દિવસથી વધીને 28 દિવસ
હાલ રાજ્યમાં 6566 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેન્ટીલેટર પર છે જ્યારે 6497ની હાલત સ્થિર છે. તેમજ 22417ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 1790ના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં અગાઉ રીકવરી રેટ 69.40 % હતો જે વધીને હાલ 73.08 % થયો છે અને ડબલિંગ રેટ જે આગાઉ 15 દિવસનો હતો જે હાલ 28 દિવસનો થયો છે. તો ડેથ રેટ જે અગાઉ 6.25% હતો જે ગત અઠવાડીયામાં 3.88% છે
ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત
જ્યારે જિલ્લા મુજબ નોંધાયેલા કેસો અને મોતની વાત કરીએ તો અમદાવાદમાં 214, સુરતમાં 184, વડોદરામાં 47, નવસારીમાં 21, મહેસાણામાં 16,ભાવનગરમાં 14, રાજકોટમાં 12, આણંદમાં 11, કચ્છમાં 11, ગાંધીનગરમાં 9, ભરૂચમાં 8, જામનગરમાં 7, સુરેન્દ્રનગરમાં 7, સાબરકાંઠામાં 7, છોટાઉદેપુરમાં 7,અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, વલસાડમાં 5 અને જૂનાગઢમાં 4 નવા કેસ નર્મદામાં 3, ખેડામાં 3, અમરેલીમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથ, દાહોદ,બોટાદ, પાટણમાં 2-2 અને મહીસાગર, બનાસકાંઠા, તાપી અને અન્ય રાજ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 12, સુરતમાં 2, રાજકોટ,ગાંધીનગર, બોટાદ અને જૂનાગઢમાં 1-1 દર્દીના મોત થયા છે.
છેલ્લા 14દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ
|
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 30 મે | 412(284) |
| 31 મે | 438 (299) |
| 1 જૂન | 423(314) |
| 2 જૂન | 415(279) |
| 3 જૂન | 485(290) |
| 4 જૂન | 492(291) |
| 5 જૂન | 510(324) |
| 6 જૂન | 498(289) |
| 7 જૂન | 480(318) |
| 8 જૂન | 477(346) |
| 9 જૂન | 470(331) |
| 10 જૂન | 510(343) |
| 11 જૂન | 513(330) |
| 12 જૂન | 495(327) |
| 13 જૂન | 517 (344) |
| 14 જૂન | 511(334) |
| 15 જૂન | 514(327) |
| 16 જૂન | 524(332) |
| 17 જૂન | 520(330) |
| 18 જૂન | 510(317) |
| 19 જૂન | 540(312) |
| 20 જૂન | 539 (306) |
| 21 જૂન | 580(273) |
| 22 જૂન | 563(314) |
| 23 જૂન | 549(235) |
| 24 જૂન | 572(215) |
| 25 જૂન | 577 (238) |
| 26 જૂન | 580(219) |
| 27 જૂન | 615(211) |
કુલ 30,773 દર્દી,1,790ના મોત અને 22,417 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 20,272 | 1,410 | 15,479 |
| સુરત | 4,242 | 147 | 2800 |
| વડોદરા | 2074 | 47 | 1463 |
| ગાંધીનગર | 625 | 28 | 452 |
| ભાવનગર | 240 | 13 | 147 |
| બનાસકાંઠા | 169 | 8 | 148 |
| આણંદ | 193 | 13 | 162 |
| અરવલ્લી | 192 | 17 | 160 |
| રાજકોટ | 240 | 6 | 116 |
| મહેસાણા | 251 | 10 | 136 |
| પંચમહાલ | 168 | 15 | 130 |
| બોટાદ | 82 | 3 | 67 |
| મહીસાગર | 135 | 2 | 110 |
| પાટણ | 164 | 15 | 109 |
| ખેડા | 139 | 5 | 100 |
| સાબરકાંઠા | 166 | 9 | 114 |
| જામનગર | 190 | 4 | 92 |
| ભરૂચ | 205 | 8 | 98 |
| કચ્છ | 141 | 5 | 90 |
| દાહોદ | 59 | 0 | 43 |
| ગીર-સોમનાથ | 69 | 1 | 47 |
| છોટાઉદેપુર | 55 | 2 | 37 |
| વલસાડ | 93 | 3 | 48 |
| નર્મદા | 88 | 0 | 33 |
| દેવભૂમિ દ્વારકા | 20 | 1 | 15 |
| જૂનાગઢ | 80 | 2 | 47 |
| નવસારી | 89 | 1 | 39 |
| પોરબંદર | 14 | 2 | 10 |
| સુરેન્દ્રનગર | 119 | 5 | 65 |
| મોરબી | 16 | 1 | 6 |
| તાપી | 7 | 0 | 5 |
| ડાંગ | 4 | 0 | 4 |
| અમરેલી | 62 | 5 | 28 |
| અન્ય રાજ્ય | 66 | 1 | 8 |
| કુલ | 30,773 | 1,790 | 22,417 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment