આજે છઠ્ઠો વિશ્વ યોગ દિવસ છે. કોરોના મહામારીને પગલે આ વખતે યોગ દિવસ ઘરે જ ઉજવવામાં આવી રહ્યો છે. તમે પણ જ્યાં છો ત્યાં યોગ કરી તમારી જાતને તંદુરસ્ત રાખો. કારણ કે કોરોના સામે લડાઈમાં યોગ ખૂબ જ અસરકારક છે. જ્યારથી આ વાઈરસ સામે આવ્યો છે ત્યારથી એક જ વાત કહેવામાં આવી રહી છે કે જો તમારા ફેફસાં અને ઈમ્યૂન સિસ્ટમ (Immune System) મજબૂત છે તો તમે તેને સરળતાથી હરાવી શકો છો.

વિશ્વ યોગ દિવસે ભાસ્કરે દેશની એકમાત્ર યોગ યુનિવર્સિટી 'બિહાર સ્કૂલ ઓફ યોગા'ના વડા પદ્મ ભૂષણ સ્વામી નિરંજનાનંદ સાથે વાત કરી. તેમણે કોરોના સામે લડવા માટે યોગની એક ક્રિયા નેતિ ક્રિયા, 4 પ્રાણાયામ અને 8 આસન અંગે જાણકારી આપી છે. આ મારફતે તમે ઈમ્યૂન સિસ્ટમ તથા ફેફસાને મજબૂત રાખી શકો છો. તો ચાલો તેને વીડિયોમાં સમજીએ......
જળ નેતિ સમયે 4 સાવધાની રાખો-
1- આ ક્રિયાને ઉભડક પદ્ધતિથી બેસી, સીધા ઉભા રહીને કે પછી બે પગ વચ્ચે સમાન અંતર રાખી શકો છો.વચ્ચે-વચ્ચે આંખો બંધ કરવી પણ જરૂરી છે.આમ નહીં કરવાથી આંખમાં પાણી જઈ શકે છે.
2. મોં વડે શ્વાસ લેવો ખૂબ જરૂરી છે, અન્યથા છીંક આવી શકે છે. નાક વડે બિલકુલ શ્વાસ લેવો નહીં, અન્યથા માથમાં પાણી જઈ શકે છે. જો પાણી માથામાં જતુ રહેશો તો ખૂબ જ મુશ્કેલી પડી શકે છે.
4. નાક અને માથાને લગતી કોઈ બીમારી હોય તો નાસિકાને સુકવવા માટે જોરજોરથી શ્વાસ બહાર કાઢશો નહીં. આ પ્રક્રિયા ધીમે-ધીમે કરો.
કોરોનાના લક્ષણોથી કેવી રીતે છૂટકારો અપાવે છે જળ નેતિ?
કોરોના વાઈરસ નાકથી શરીરમાં પ્રવેશ કરે છે અને સૌથી પહેલા ગળામાં અસર કરે છે. ત્યારબાદ તે ફેફસાંમાં જાય છે. જળ નેતિથી આ વાઈરસ નાકમાં જ ખતમ થઈ જાય છે. કોરોનાથી પિડત વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સંજોગોમાં આ ક્રિયાથી નાસિકા સંપૂર્ણપણે ખુલ્લી જાય છે. જેને લીધે ફેફસાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવા લાગે છે. જેમને દમ (Asthma) રોગ, ન્યુમોનિયા (Pneumonia) અથવા બ્રોનકાઈટિસ (Bronchitis)ની બીમારી છે તેમને પણ લાભ થાય છે.
જળ નેતિ નાસિકા માર્ગ તથા સાઈનસમાં જામી ગયેલા સેલેસ્માને બહાર કાઢે છે. ગળામાં જામી ગયેલા કફને બહાર કાઢે છે અને આ ક્રિયા સતત કરવાથી કફ થવાની ફરિયાદ દૂર થઈ જાય છે. દ્રષ્ટિ દોષ તથા કાન માટે પણ જળ નેતિ લાભદાયક છે. હવાના પ્રદૂષણ તથા એલર્જી થવાથી તાવ અને ટોન્સિલને પણ ઠીક કરી આપે છે.
4 પ્રાણાયામ કે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છેઃ
જળ નેતિ ક્રિયા ઉપરાંત યોગના 4 આસન પણ છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. કે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા અને ભ્રામરી પ્રાણાયમ છે. જળ નેતિ બાદ ભ્રસ્ત્રિકા તથા કપાલભાતિ જરૂરી છે. તે કરવાથી નાકમાંથી તમામ પાણી બહાર આવી જશે અને મસ્તક તાજગીનો અહેસાસ કરશે. જળ નેતિ, ભસ્ત્રિકા અને કપાલ ભાતિને કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક સુધી કોઈ પણ પ્રકારનો આહાર ન લેશો. એક અથવા બે ગ્લાસ નબસેકુ પાણી પી શકાય છે.
1. કપાલભાતિઃ તે ફેફસાં અને પેટ માટે ખૂબ જ લાભદાયક છે. ઈમ્યૂનિટીને વધારેછે. હાઈબ્લડ પ્રેશર ધરાવતા લોકો આ પ્રાણાયમને ધીમે-ધીમે કરી શકે છે. તેને રોજ ઓછામાં ઓછા 15 મિનિટ કરવું જરૂરી છે.
2. અનુલોમ વિલોમઃ આ પ્રાણાયામ શરીરની અંદર હવાને શુદ્ધ કરે છે. ફેફસાને તંદુરસ્ત રાખવામાં વધારે લાભદાયક છે. આ પ્રાણાયામને 10થી 15 મિનિટ સુધી કરો.
3. ભસ્ત્રિકાઃ આ પ્રાણાયામ કરવા માટે પહ્માસનમાં બેસી જાઓ. જો પદ્માસનમાં ન બેસી શકો તો પગ વાળીને બેસી શકો છો. તે ઈમ્યૂન વધારે છે. તેનાથી વાત, પિત્ત અને કફન સમસ્યા દૂર થાય છે. આંખ, કાન અને નાકને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ મળે છે. દરરોજ પાંચથી દસ મિનિટ સુધી કરી શકાય છે.
4-ભ્રામરીઃ આ પ્રાણાયામ ડિપ્રેશનના લોકો માટે ખૂબ જ લાભદાયક છે. તેનાથી રાત્રે ઉંઘ સારી આવે છે. તેને બેથી ત્રણ મિનિટ સુધી કરી શકાય છે. તેમા કોઈ જ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર નથી.
આ 8 આસન પણ ઈમ્યૂન સિસ્ટમ વધારે છે-
જળ નેતિ અને 4 પ્રાણાયમ બાદ આટ આસનો દ્વારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી શકાય છે. આ આઠ આસન છે-શીર્ષાસન, સર્વાંગાસન, ચક્રાસન, કાન્દ્રાસન, ઉષ્ટ્રાસન, ભુજંગાસન, મયૂરાસન અને વ્યાઘ્રાસન
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment