હિંદુ કેલેન્ડરનો આઠમો મહિનો અષાઢ છે. આ મહિનો 22 જૂનથી 20 જુલાઈ સુધી રહેશે. ધાર્મિક અને શારીરિક રૂપથી આ મહિનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે, આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવી જોઇએ. જેથી ઊર્જા નિયંત્રિત રહી શકે. આ મહિનો ગરમી અને વરસાદનો સંધિકાળ પણ હોય છે. જેના દ્વારા રોગોનું સંક્રમણ આ દિવસોમાં વધારે થાય છે. એટલે જ, અષાઢ મહિનામાં સ્વાસ્થ્યને લઇને ખાસ સાવધાની રાખવી જોઇએ.
અષાઢના સ્વામી સૂર્ય અને વામનઃ-
જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, અષાઢ મહિનાના દેવતા સૂર્ય અને વામન છે. એટલે, આ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતાર અને સૂર્યની વિશેષ પૂજા કરવી જોઇએ. તેમની ઉપાસનાથી વિશેષ ફળ મળે છે. અષાઢ મહિનામાં સૂર્યની ઉપાસનાથી ઊર્જાનું સ્તર નિયંત્રિત રાખી શકાય છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કોઇપણ પ્રકારની બીમારી થતી નથી. ભગવાન વિષ્ણુની ઉપાસનાથી સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ગરમી અને વરસાદનો સંધિકાળઃ-
સ્વાસ્થ્યની દૃષ્ટિએ અષાઢ મહિનામાં સાવધાની રાખવી જોઇએ. આ મહિનો ગરમી અને વરસાદના સંધિકાળમાં આવે છે. એટલે આ દરમિયાન ગ્રીષ્મ ઋતુ હોય છે. સાથે જ, સૂર્યના રોહિણી નક્ષત્રમાં આવી જવાથી વૃષ્ટિકાળ પણ રહે છે. જેનાથી આ દિવસોમાં વાતાવરણમાં બફારો વધવા લાગે છે. એટલે આ મહિનામાં રોગોનું સંક્રમણ વધારે થાય છે. અષાઢ મહિનામાં મલેરિયા, ડેગ્યૂ અને વાઇરલ ફીવર વધારે થાય છે. આ મહિનામાં સ્વાસ્થ્યને લઇને વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે.
સાવધાનીઃ શું કરવું-શું ન કરવું-
ઋતુમાં ફેરફાર થતાં આ મહિનામાં પાણી સાથે સંબંધિત બીમારીઓ વધારે થાય છે. એવામાં આ દિવસોમાં સાફ પાણીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અષાઢ મહિનામાં રસવાળા ફળનું સેવન વધારે કરવું જોઇએ. પાચન શક્તિને યોગ્ય રાખવા માટે તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઇએ. અષાઢ મહિનામાં વરિયાળી, હીંગ અને લીંબૂનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ મહિનામાં સાફ-સફાઈ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment