ICSE અને CBSE બોર્ડની ધો.10 અને ધો.12ની બાકી રહેલી પરીક્ષાને લઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાનીવાળી 3 જજની બેંચે કેન્દ્ર અને CBSEને કહ્યું કે પરીક્ષા રદ્દ કરવાનું નોટિફિકેશન બહાર પાડો. સાથે એમ પણ કહ્યું કે એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની દિશામાં આગળવ વધો.
આ સાથે જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જજની બેંચે અન્ય કોર્ટમાં આ વિષય પર વિચારાધીન દરેક કેસને ડિસ્પોઝ-ઓફ કરી દીધા છે.
પરીણામ 15 જૂલાઈ સુધીમાં, વૈકલ્પિક પરીક્ષા બાળકો ઉપર નિર્ભર
ICSE અને CBSEએ કોર્ટને કહ્યું કે ધો.10 અને ધો.12ના પરીણામ 15 જુલાઈ સુધીમાં બહાર પડાશે. CBSE અને કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે એસેસમેન્ટ સ્કીમમાં વિદ્યાર્થીની પાછળની ત્રણ પરીક્ષાના માર્ક્સને આધાર મનાશે.
સ્ટોરીમાં ઉમેરો ચાલું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment