લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની હિંસક અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. શનિવારે સતત ચોથા દિવસે રાહુલે ટ્વિટ કર્યું કે, ચીનના આક્રમણ આગળ વડાપ્રધાને સરેન્ડર કરી દીધું. રાહુલે એવું પણ પુછ્યું કે, જો એ જમીન ચીનની હતી તો ભારતના સૈનિક શહીદ કેમ થયા અને કઈ જગ્યાએ શહીદ થયા?
PM has surrendered Indian territory to Chinese aggression.
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2020
If the land was Chinese:
1. Why were our soldiers killed?
2. Where were they killed? pic.twitter.com/vZFVqtu3fD
શુક્રવારે ભારત-ચીન અથડામણના મુદ્દે રાહુલે સતત ત્રીજી વખત સરકારને આડે હાથે લીધી છે. ચીન મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ પહેલા રાહુલે 3 વાતો કહી હતી..
1. ગલવાનમાં ચીનનો હુમલો એક કાવતરું
2. સરકાર ગાઢ નિંદ્રામાં હતી, તેને સમસ્યાને સમજવાનો પ્રયાસ ન કર્યો
3. શહીદ થયેલા જવાનોએ તેની કિંમત ચુકવી
It’s now crystal clear that:
— Rahul Gandhi (@RahulGandhi) June 19, 2020
1. The Chinese attack in Galwan was pre-planned.
2. GOI was fast asleep and denied the problem.
3. The price was paid by our martyred Jawans.https://t.co/ZZdk19DHcG
રાહુલે ગુરુવારે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા જવાનોને હથિયાર વગર શહીદ થવા માટે કેમ મોકલી દીધા? આ માટે કોણ જવાબદાર છે?
कौन ज़िम्मेदार है? pic.twitter.com/UsRSWV6mKs
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2020
રાહુલે બે દિવસ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સવાલ કર્યા હતા. રક્ષામંત્રીને કહ્યું હતું કે, ગલવાન વેલીમાં આપણા સૈનિકોના શહીદ થવાથી દુઃખી છું. રાહુલે તેમને પુછ્યું કે તમે ચીનનું નામ ન લઈને ભારતીય સેનાનો અનાદર કેમ કરી રહ્યા છો?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment