1 જૂનથી ચાલનારી 200 સ્પેશિયલ ટ્રેનો માટે રેલવેએ 24 કલાકની અંદર 12.5 લાખ યાત્રીઓ માટે 5.7 લાખ ટિકિટ બુક કરાવી છે. ટ્રેનો માટે ઓનલાઇન બુકિંગ ગુરુવારે સવારથી શરૂ થઈ હતી. શુક્રવારથી પીઆરએસ, પોસ્ટ ઓફિસ અને આઈઆરસીટીસી એજન્ટોના માધ્યમથી પણ બુકિંગ શરૂ થઈ. અનેક જગ્યાએ રેલવે સ્ટેશનો ઉપર પણ બુકિંગ કાઉન્ટર ખૂલ્યા હતા. આ દરમિયાન રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી મોટા શહેરો માટે ચાલતી 15 જોડી એસી ટ્રેનોમાં પણ 30 પહેલાં સુધી એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. આ ટ્રેનોમાં હવે વેઈટિંગ અને આરએસીની સુવિધા પણ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment